Daily Current Affairs 26-31 January 2025: List of Important Days
CALENDAR
- 26 January 2025
- પ્રજાસત્તાક દિવસ (Republic Day)
- દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવવામાં આવે છે.
- 26 જાન્યુઆરી, 1950ના ભારતના બંધારણ (Constitution of India)ને અપનાવવામાં આવ્યું હતું.
- આ વર્ષે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
- 2025 થીમ: “Swarnim Bharat: Virasat aur Vikas” (Golden India: Heritage and Development)
- International Customs Day
- દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ International Customs Day ઉજવવામાં આવે છે.
- 1953માં Customs Corporation Council (CCC)એ 26 જાન્યુઆરીને International Customs Day તરીકે ઉજવવાની પુષ્ટિ કરી હતી. આ સત્રનું ઉદઘાટન બેલ્જિયમના બ્રસેલ્સમાં થયું હતું. તે સત્રમાં 17 યુરોપિયન દેશોના સભ્યોએ હાજરી આપી હતી.
- 1994માં CCCનું નામ બદલીને World Custom Organization કરવામાં આવ્યું હતું. હાલમાં વિશ્વભરમાં 182 સભ્ય દેશો ધરાવે છે.
- International Customs Day 2025 થીમ: “Customs Delivering on its Commitment to Efficiency, Security, and Prosperity.”
- International Day of Clean Energy
- જનરલ એસેમ્બલી (ઠરાવ A/77/327) દ્વારા 26 જાન્યુઆરીને International Day of Clean Energy તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
- વિશ્વ રક્તપિત્ત દિવસ (World Leprosy Day)
- દર વર્ષે જાન્યુઆરીના છેલ્લા રવિવાર (26 January, 2025)ના રોજ વિશ્વ રક્તપિત્ત દિવસ મનાવવામાં આવે છે. ભારતમાં તે દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.
- પ્રજાસત્તાક દિવસ (Republic Day)
- 27 January 2025
- International Holocaust Remembrance Day
- દર વર્ષે 27 જાન્યુઆરીના રોજ હોલોકોસ્ટના પીડિતોની યાદમાં International Holocaust Remembrance Day ઉજવવામાં આવે છે.
- International Holocaust Remembrance Day
- 28 January 2025
- Data Privacy Day
- દર વર્ષે 28 જાન્યુઆરીના રોજ Data Protection અને Privacy વિશે જાગૃતિ લાવવા માટે Data Privacy Day (યુરોપમાં Data Protection Day તરીકે ઓળખાય છે) ઉજવવામાં આવે છે.
- Data Privacy Day 2025 થીમ: “Take Control of Your Data”.
- લાલા લાજપતરાય જન્મજયંતિ
- લાલા લાજપતરાયનો જન્મ 28 જાન્યુઆરી, 1865ના રોજ પંજાબના મોગા જિલ્લામાં થયો હતો.
- 1886માં તેમણે લાહોર ખાતે દયાનંદ એંગ્લો-વૈદિક સ્કૂલ નામની રાષ્ટ્રવાદી શાળાની સ્થાપના કરી હતી.
- 1921માં લાહોર ખાતે સર્વન્ટ ઓફ ધ પીપલ સોસાયટી નામના સંગઠનની સ્થાપના કરી.
- તેમણે ઉર્દૂ દૈનિક ‘વંદે માતરમ્’ તથા અંગ્રેજી સાપ્તાહિક ‘પીપલ’ શરૂ કર્યા હતા.
- મૃત્યુ: 17 નવેમ્બર, 1928
- Data Privacy Day
- 29 January 2025
- Indian Newspaper Day
- ભારત સ્વતંત્રતા પહેલાના યુગમાં પ્રથમ અખબારની રજૂઆતની યાદમાં દર વર્ષે 29 જાન્યુઆરીના રોજ Indian Newspaper Day ઉજવવામાં આવે છે.
- તેને ‘National Newspaper Day’ તરીકે પણ ઉજવવામાં આવે છે.
- Indian Newspaper Dayની ઉત્પત્તિ 29 જાન્યુઆરી, 1780માં થઈ હતી, જ્યારે James Augustus Hicky એ ભારતમાં પ્રથમ પ્રિંટેડ અખબાર ‘Hicky’s Bengal Gazette’ રજૂ કર્યું હતું. કલકત્તા જનરલ એડવર્ટાઇઝર તરીકે પણ ઓળખાય છે, આ સાપ્તાહિક પ્રકાશન બ્રિટિશ રાજ દરમિયાન કોલકાતા (તે સમયે કલકત્તા)માં શરૂ કરવામાં આવ્યું હતું.
- Indian Newspaper Day 2025 થીમ: “Role of Print Media in the Digital Age”.
- Indian Newspaper Day
- 30 January 2025
- શહીદ દિવસ (Martyrs’ Day)
- દર વર્ષે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસ ઉજવવામાં આવે છે.
- 30 જાન્યુઆરી, 1948ના રોજ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની, બિરલા હાઉસ, દિલ્હીમાં પ્રાર્થના સભામાં જતા સમયે હિંદુ રાષ્ટ્રવાદી નાથુરામ ગોડસે દ્વારા હત્યા કરવામાં આવી હતી.
- World Neglected Tropical Diseases Day
- દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ World Neglected Tropical Diseases Day ઉજવવામાં આવે છે.
- World Health Assembly (WHA) એ 74મી World Health Assembly માં 30 જાન્યુઆરીને World Neglected Tropical Diseases Day તરીકે માન્યતા આપી હતી.
- આ દિવસ NTDs સામેની લડાઈમાં બે મહત્ત્વપૂર્ણ સીમાચિન્હો યાદ કરે છે: NTDs માટે પ્રથમ WHO રોડમેપ અને 2012 London Declaration on Neglected Tropical Diseases.
- World Neglected Tropical Diseases Day 2025 થીમ: “Unite, Act, and Eliminate NTDs”.
- WHO Roadmap for NTDs: Targets the control, elimination, and eradication of NTDs by 2030.
- શહીદ દિવસ (Martyrs’ Day)
- 31 January 2025
- International Zebra Day
- દર વર્ષે ઝેબ્રાના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે 31 જાન્યુઆરીના રોજ International Zebra Day ઉજવવામાં આવે છે.
- ઝેબ્રા પ્રજાતિઓ – તેઓ મૂળ આફ્રિકાના છે, કેન્યા, નામિબિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં જોવા મળે છે.
- Threats – Habitat loss due to climate change and poaching.
- 3 species & Conservation status
- Grevy’s zebra – Endangered.
- Mountain zebra – Vulnerable.
- Plains zebra – Near-threatened
- International Zebra Day
આજનો ઈતિહાસ: (26-31 January)
DAY IN HISTORY
- 26 January
- 26 January 1963: મોરને ‘રાષ્ટ્રીય પક્ષી’ ઘોષિત કરવામાં આવ્યું.
- વૈજ્ઞાનિક નામ: પાવો ક્રિસ્ટેટસ
- 26 January 1963: મોરને ‘રાષ્ટ્રીય પક્ષી’ ઘોષિત કરવામાં આવ્યું.
- 27 January
- 27 January 1880: થોમસ એડિસનને ઈલેક્ટ્રિક લેમ્પ માટે પેટન્ટ આપવામાં આવી હતી.
- 1878માં એડિસને વીજળીના બલ્બની શોધ કરી હતી.
- 27 January 1967: નાસાના અવકાશયાત્રીઓ Virgil Grissom, Edward White અને Roger Chaffee Apollo 1 મિશનના પ્રી-લૉન્ચ ટેસ્ટ દરમિયાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
- 27 January 1880: થોમસ એડિસનને ઈલેક્ટ્રિક લેમ્પ માટે પેટન્ટ આપવામાં આવી હતી.
- 28 January
- 28 January 1865: લાલા લાજપત રાયનો જન્મ પંજાબના મોગા જિલ્લાના ધુડિકેમાં થયો હતો.
- તેઓ ‘શેર પંજાબ’ અથવા ‘પંજાબ કેસરી’ નામથી જાણીતા હતા.
- તેઓ ‘Garam Dal’ના પ્રમુખ નેતાઓ ‘લાલ-બાલ-પાલ’માંથી એક હતા.
- 28 January 1950: Old Parliament Building ના Chamber of Princes માં ભારતની સર્વોચ્ચ અદાલતનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
- હરિલાલ જે. કનિયાએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની સામે સર્વોચ્ચ અદાલતના પ્રથમ ન્યાયાધીશના તરીકે શપથ લીધી હતી.
- 28 January 1865: લાલા લાજપત રાયનો જન્મ પંજાબના મોગા જિલ્લાના ધુડિકેમાં થયો હતો.
- 29 January
- 29 January 1996: ફ્રાન્સના રાષ્ટ્રપતિ Jacques Chirac દ્વારા જાહેરાત કરવામાં આવી કે ફ્રાન્સ હવે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ બંધ કરશે.
- 30 January
- 30 January 1948: નવી દિલ્હીના બિરલા હાઉસમાં મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
- આ દિવસને Martyrs’ Day અથવા શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
- 30 January 1948: નવી દિલ્હીના બિરલા હાઉસમાં મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
- 31 January
- 31 January 1923: મેજર સોમનાથ શર્માનો જન્મ હિમાચલના કાંગડા જિલ્લામાં થયો હતો.
- ભારત સરકાર દ્વારા મેજર શર્માને મરણોત્તર દેશના સર્વોચ્ચ લશ્કરી સન્માન ‘પરમવીર ચક્ર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ‘પરમવીર ચક્ર’ના પ્રથમ પ્રાપ્તકર્તા હતા.
- 31 January 1958: યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા ફ્લોરિડાના કેપ કેનાવેરાલ (Cape Canaveral)થી પ્રથમ ઉપગ્રહ ‘Explorer 1’ લૉન્ચ કરવામાં આવ્યો હતો.
- 31 January 1923: મેજર સોમનાથ શર્માનો જન્મ હિમાચલના કાંગડા જિલ્લામાં થયો હતો.
Table of Contents
Daily Current Affairs 26-31 January 2025
# Padma Awards 2025
AWARDS
76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિસ્થિત પદ્મ પુરસ્કારો પ્રાપ્યકર્તાઓની જાહેરાત કરવામાં આવી હતી. 2025 માટે રાષ્ટ્રપતિએ 1 Duo Case સહિત 139 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે.
આ યાદીમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. આ વર્ષે એવોર્ડ મેળવનારાોમાં 23 મહિલાઓ છે, 10 પુરસ્કાર મેળવનાર વિદેશી/NRI/PIO/OCI ની શ્રેણીના છે અને 13 મહાનુભાવોને મરણોપરાંત પુરસ્કારો પ્રાપ્ત થયા છે.
હ્યુ અને કોલીન ગેન્ટઝર (મરણોપરાંત)ની 1 જોડીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
પદ્મ પુરસ્કાર વિશે
- પદ્મ પુરસ્કારો એ ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક છે, જેને ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે.
- પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી.
- પદ્મ વિભૂષણ: અસાધારણ અને વિશિષ્ટ સેવાઓ માટે
- પદ્મભૂષણ: ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવાઓ માટે
- પદ્મશ્રી: કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવાઓ માટે
- પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી.
- પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસ (26મી જાન્યુઆરી)ના રોજ કરવામાં આવે છે.
- સ્થાપના: 1954
- 1978, 1979 અને 1993 થી 1997 દરમિયાન પુરસ્કારો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
- આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમત, નાગરિક સેવા જેવાં વિવિધ ક્ષેત્રોમાં આપવામાં આવે છે.
પદ્મ વિભૂષણ 2025ના વિજેતાઓ
| પુરસ્કાર વિજેતા | ક્ષેત્ર |
| દુવ્વુર નાગેશ્વર રેડ્ડી | ચિકિત્સા |
| જસ્ટિસ (નિવૃત્ત) શ્રી જગદીશસિંહ ખેહર | સાર્વજનિક બાબતો |
| લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમ | કલા |
| કુમુદિની રજનીકાંત લાખિયા | કલા |
| એમ. ટી. વાસુદેવન નાયર (મરણોપરાંત) | સાહિત્ય અને શિક્ષણ |
| ઓસામુ સુઝુકી (મરણોપરાંત) – જાપાન | વ્યાપાર અને ઉદ્યોગ |
| શારદા સિંહા (મરણોપરાંત) | કલા |
ગુજરાતના પદ્મ પુરસ્કાર 2025 વિજેતાઓ
- પદ્મ વિભૂષણ
- કુમુદિની રજનીકાંત લાખિયા – કલા
- પદ્મ ભૂષણ
- પંકજ પટેલ – વ્યાપાર અને ઉદ્યોગ
- પદ્મ શ્રી
- ચંદ્રકાંત શેઠ (મરણોપરાંત) – સાહિત્ય અને શિક્ષણ
- તુષાર દુર્ગેશભાઈ શુક્લ – સાહિત્ય અને શિક્ષણ
- ચંદ્રકાંત સોમપુરા – અન્ય-આર્કિટેક્ટ
- પરમાર લવજીભાઈ નગજીભાઈ – કલા
- રાતનકુમાર પારિમૂ – કલા
- સુરેશભાઈ હરિલાલ સોની – સામાજિક કાર્ય
# યુનિફાઈડ પેન્શન યોજના
GOVERNMENT POLICIES
- કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં પહેલાથી જ નોંધાયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના (UPS) લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- આ યોજના જૂની પેન્શન યોજના અને NPS બંનેના ઘટકોને જોડે છે, તેનો ઉદ્દેશ્ય નિવૃત્ત કર્મચારીઓને ગેરંટીડ પેન્શન આપવાનો છે.
- 24 જાન્યુઆરી, 2025ના રોજ જારી કરાયેલા સરકારી જાહેરનામામાં જણાવાયું છે કે આ યોજના 1 એપ્રિલ, 2025થી લાગૂ થશે.
- યુનિફાઈડ પેન્શન યોજના એવા કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે જેઓ પહેલાથી જ નેશનલ પેન્શન સિસ્ટમમાં નોંધાયેલા છે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કરવી આવશ્યક છે.
- જે કર્મચારીઓ ઓછામાં ઓછા 10 વર્ષની લાયકાત સેવા પૂર્ણ કર્યા પછી નિવૃત્ત થાય છે તેમને નિવૃત્તકાળની તારીખથી ખાતરીપૂર્વક ચુકવણી મળશે.
# ઉત્કર્ષ ઓડિશા કોન્કલેવ
NATIONAL NEWS
- 28 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાની મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઈન ઓડિશા કોન્કલેવ 2025’નું ઉદઘાટન કરશે. આ કોન્કલેવનું આયોજન ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે કરવામાં આવશે.
- ઓડિશા સરકાર દ્વારા આયોજિત આ બે દિવસીય કાર્યક્રમમાં પાંચ મુખ્ય ક્ષેત્રો – IT, નવીનીકરણ ઉર્જા, કાપડ, રસાયણો અને ખાદ્ય પ્રક્રિયામાં રાજ્યની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લગભગ 4000 થી 5000 રોકાણકારો ભાગ લે તેવી અપેક્ષા છે.
- મુખ્ય કાર્યક્રમ પહેલા 27 જાન્યુઆરીના રોજ ભારતીય ઉદ્યોગ સંઘ પાંચ સત્રોનું આયોજન કરશે જેમાં લગભગ 200 ઉદ્યોગ સભ્યો ભાગ લેશે. આ કોન્કલેવમાં 40 વર્ષથી ઓછી ઉંમરના 60 યુવા ઉદ્યોગસાહસિકોની સિદ્ધિઓ દર્શાવવામાં આવશે જેઓ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.
- 29 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી દરેક જિલ્લામાંથી બે યુવા ઉદ્યોગસાહસિકોને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરશે.
#
One-Liner Current Affairs
- કેન્દ્રીય શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેલંગણાના કરીમનગરમાં 24 કલાક પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું.
- 24 કલાક પીવાના પાણીનો પુરવઠો પુરો પાડતો આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે. આ પાયલોટ પ્રોજેક્ટને 18 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે. લગભગ 6 હજાર પાણીના જોડાણો 24 કલાક પીવાનું પાણી પૂરું પાડશે.