Daily Current Affairs 08-15 April 2025: List of Important Days
CALENDAR
- 09 April 2025
- CRPF શોર્ય દિવસ
- દર વર્ષે 9 એપ્રિલના રોજ CRPF (Central Reserve Police Force)ના બહાદુરોને શ્રદ્ધાંજલિ આપવામાં માટે ‘CRPF શૌર્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
- આ વર્ષ 2025માં 60મો CRPF શોર્ય દિવસ છે.
- 1965માં, પાકિસ્તાની સૈનિકોના એક જૂથે કચ્છના રણ પાસે ભારતીય સૈનિકોની એક ટુકડી પર હુમલો કર્યો હતો. CRPF દ્વારા કરવામાં આવેલી આ જવાબી કાર્યવાહીમાં 34 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ચાર અન્યને પકડવામાં આવ્યા. આ લડાઈમાં 6 DRPF જવાન પણ શહીદ થયા.
- CRPF શોર્ય દિવસ
- 10 April 2025
- World Homoeopathy Day (WHD)
- દર વર્ષે 10 એપ્રિલના રોજ ‘World Homoeopathy Day (WHD)‘ ઉજવવામાં આવે છે.
- હોમિયોપેથીના સ્થાપક Dr. Samuel Hahnemannt ના જન્મદિન નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે.
- તેમનો જન્મ 10 એપ્રિલ, 1755ના રોજ જર્મનીમાં થયો હતો.
- આ દિવસનો ઉદ્દેશ્ય હોમિયોપેથીના ફાયદાઓ, ઉપચાર માટે તેના સર્વાંગી અભિગમ અને આ ક્ષેત્રમાં વધુ સંશોધન અને શિક્ષણના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
- National Siblings Day
- દર વર્ષે 10 એપ્રિલ 2025ના રોજ National Siblings Day ઉજવવામાં આવે છે.
- Claudia Evart એ ખૂબ જ નાની ઉંમરે પોતાના ભાઈ અને બહેન (Alan and Lisette)ને ગુમાવ્યા બાદ 1995માં National Siblings Day ની શરૂઆત કરી હતી.
- World Homoeopathy Day (WHD)
- 11 April 2025
- National Safe Motherhood Day (NSMD)
- દર વર્ષે 11 એપ્રિલના રોજ National Safe Motherhood Day (NSMD) ઉજવવામાં આવે છે. કસ્તુરબા ગાંધીની જન્મજયંતિ આ દિવસ ઉજવવામાં આવે છે.
- ઉદ્દેશ્ય: માતૃ મૃત્યુદર ઘટાડવાનો અને મહિલાઓના પ્રજનન અધિકારો અને સલામતીની હિમાયત કરવાનો છે.
- આ દિવસની ઉજવણી કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે.
- White Ribbon Alliance India (WRAI) દ્વારા 2003માં શરૂ કરવામાં આવ્યો હતો.
- National Safe Motherhood Day (NSMD) 2025 થીમ: “Healthy Beginnings, Hopeful Futures”.
- 5 Pillars of Safe Motherhood
- Family Planning, Prenatal Care, Professional Birth Attendance, Emergency Care, Postnatal Care
- World Parkinson’s Day
- દર વર્ષે 11 એપ્રિલના રોજ World Parkinson’s Day ઉજવવામાં આવે છે. જે Parkinson’s Disease વિશે જાગૃતિ ફેલાવવા માટે એક વૈશ્વિક પહેલ છે.
- તે Progressive Neurodegenerative Disorder છે, જે વૈશ્વિક સ્તરે લાખો લોકોને અસર કરે છે.
- સૌપ્રથમ 1817માં ડૉ. જેમ્સ પાર્કિન્સને આ બિમારીના લક્ષણોની શોધ કરી હતી. આથી તેની યાદમાં તેમના જન્મદિન 11 એપ્રિલ ‘World Parkinson’s Day’ તરીકે ઉજવાય છે.
- જન્મ: 11 એપ્રિલ, 1755ના રોજ લંડનમાં થયો હતો.
- National Pet Day
- દર વર્ષે 11 એપ્રિલના રોજ National Pet Day ઉજવવામાં આવે છે.
- 2006માં Colleen Paige દ્વારા વિકાસવવામાં આવ્યો હતો.
- હાલમાં આ દિવસ USA માં ઉજવવામાં આવે છે, પરંતુ તે અન્ય દેશોમાં પણ લોકપ્રિયતા મેળવી રહ્યો છે.
- National Safe Motherhood Day (NSMD)
- 13 April 2025
- જલિયાંવાલા બાગ હત્યાકાંડ
- 13 એપ્રિલ, 2025ના રોજ જલિયાંવાલા બાગ હત્યાકાંડની 106મી વર્ષગાંઠ હતી.
- જલિયાંવાલા બાગ હત્યાકાંડ ભારતીય ઈતિહાસની સૌથી દુ:ખદ ઘટનાઓમાંની એક છે.
- 13 એપ્રિલ, 1919ના રોજ પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં ભેગા થયેલા હજારો નિર્દોષ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પર બ્રિટિશ સૈનિકોએ ગોળીબાર કર્યો હતો.
- Brigadier General Reginald Dyer ના આદેશથી થયેલા આ ક્રૂર હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હતા.
- જલિયાંવાલા બાગ હત્યાકાંડ
- 14 April 2025
- ડૉ. બી. આર. આંબેડકર જયંતિ
- 14 એપ્રિલ, 2025ના રોજ ડૉ. બી. આર. આંબેડકરની 135મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી.
- જન્મ: 14 એપ્રિલ, 1891
- પૂરું નામ: ડૉ. ભીમરાવ રામજી આંબેડકર
- તેઓ બાબાસાહેબ નામથી પ્રખ્યાત હતા.
- 2015થી દર વર્ષે તેમની જન્મજયંતિ 14 એપ્રિલ ‘સમરસતા દિવસ’ અને 26 નવેમ્બર ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવાય છે.
- ડૉ. બી. આર. આંબેડકર જયંતિ
- 15 April 2025
- World Art Day
- દર વર્ષે 15 એપ્રિલના રોજ World Art Day ઉજવવામાં આવે છે.
- શરૂઆત: 15 એપ્રિલ, 2012ના રોજ Guadalajara, Mexico માં International Association of Art (IAA)ની General Assembly દરમિયાન કરવામાં આવી હતી.
- ઉદ્દેશ્ય: કલા અને કલાકારોના મહત્વને વૈશ્વિક પ્લેટફોર્મ પર ઉજાગર કરવાનો છે.
- World Art Day ‘Leonardo da Vinci‘ના જન્મદિવસને શ્રદ્ધાંજલિ તરીકે ઉજવવામાં આવે છે.
- World Art Day 2025 થીમ: “Art for Unity and Healing.”
- Universal Day of Culture
- વિશ્વભરના ઘણા દેશો દર વર્ષે 15 એપ્રિલના રોજ Universal Day of Culture ઉજવે છે. ‘World Day of Culture’ તરીકે પણ ઓળખાય છે.
- આ દિવસની સ્થાપના 1935માં ‘Roerich Pact’ અપનાવવાની યાદમાં કરવામાં આવી હતી.
- ‘World League of Culture’ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1998માં આ દિવસની પ્રથમ ઉજવણી શરૂ કરવામાં આવી હતી.
- World Art Day
Table of Contents
Daily Current Affairs 08-15 April 2025
# ચિલીના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે
INTERNATIONAL RELATIONS
તાજેતરમાં ચિલી (Chile)ના રાષ્ટ્રપતિ Gabriel Boric Font ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. તેમણે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. નવી દિલ્હી ઉપરાંત આગ્રા, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત પણ લીધી હતી.
મુલાકાતના મુખ્ય મુદ્દાઓ
- ભારત અને ચિલી સંરક્ષણ અને સુરક્ષા સહયોગ વધારવા માટે Comprehensive Economic Partnership Agreement(CEPA) માટે વાટાઘાટો શરૂ કરવા સંમત થયા છે.
- ભારત અને ચિલી હાલમાં 2016થી Preferential Trade Agreement ધરાવે છે.
- આંશિક વેપાર કરારને Comprehensive Foreign Trade Agreement (FTA)માં વિસ્તૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આર્થિક ભાગીદારી કરાર માટેની વાટાઘાટો શરૂ કરવામાં આવી હતી.
- દ્વિપક્ષીય સહયોગ (Bilateral Cooperation) વધારવા માટે બંને દેશો વચ્ચે ચાર કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
- Antarctica Cooperation: એન્ટાર્કટિક દરિયાઈ જીવંત સંસાધનોના સંરક્ષણ, દ્વિપક્ષીય સંવાદો, સંયુક્ત પહેલ અને શૈક્ષણિક આદાનપ્રદાન જેવા ક્ષેત્રોમાં ભાગીદારીને સરળ બનાવવા, હાલના એન્ટાર્કટિક સહયોગને મજબૂત બનાવવા માટે એક ઉદ્દેશ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
- Cultural Exchange: ભારત અને ચિલી વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર (MoU – Memorandum of Understanding) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
- Copper Mining Cooperation: Copper Exploration અને Mining સંબંધિત સહયોગ અને માહિતીના આદાનપ્રદાન માટે CODELCO (Chile’s State-Owned Copper Company) અને Hindustan Copper Limited (India) વચ્ચે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
- Disaster Management: આ કરાર આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)માં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં અનુભવો, જ્ઞાન અને તૈયારી અને પ્રતિભાવ ક્ષમતાઓને વધારવા માટે શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન કરવાનો સમાવેશ થાય છે.
- ભારતે World Audio Visual & Entertainment Summit (WAVES) 2025 માટે ચિલીને આમંત્રણ આપ્યું છે.
- ભારતના પ્રધાનમંત્રીએ ચિલીને ‘Gateway to Antarctica’ ગણાવ્યું.
- ભારત-ચીલી ભાગીદારી મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં પણ મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે અને સ્થિતિસ્થાપક પુરવઠો અને મૂલ્ય શૃંખલા (Resilient Supply and Value Chains) સ્થાપિત કરવા માટે કાર્ય કરવામાં આવશે.
Comprehensive Economic Partnership agreement શું છે?
- Comprehensive Economic Partnership Agreement (CEPA)એ એક પ્રકારનો Free Trade Agreement છે, જે પરંપરાગત માલસામાનના વેપાર (Traditional Trade in Goods)થી આગળ વધે છે, જેમાં Services, Investment, અને other Economic Cooperation Aspects નો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય દેશો વચ્ચે વધુ સર્વાંગી અને ઊંડા આર્થિક સંબંધો (Holistic and Deeper Economic Relationship) બનાવવાનો છે.
- FTA એ એક દેશો અથવા Regional Blocks વચ્ચેનો એક કરાર છે, જે વેપારને વધારવા માટે પરસ્પર વાટાઘાટો દ્વારા વેપાર અવરોધોને ઘટાડવા અથવા દૂર કરવા (Reduce or Eliminate Trade Barriers) માટે છે.
# અમલસાડ ચીકુ (Amalsad Chikoo)
GEOGRAPHY
તાજેતરમાં નવસારી જિલ્લાના એક ગામ પરથી જાણીતા ‘અમલસાડ ચીકુ’ને GI ટેગ આપવામાં આવ્યો છે.
- ગીરની કેસર કેરી અને કચ્છી ખારેક પછી અમલસાડ ચીકુ GI ટેગ મેળવનાર ગુજરાતનું ત્રીજું ફળ છે.
- આ સાથે ગુજરાતમાં આપવામાં આવેલા GI ટેગની કુલ સંખ્યા 28 થઈ છે.
- આ GI ટેગ વલસાડ-નવસારી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ લિમિટેડ અથવા નવસારી જિલ્લા ફળ અને શાકભાજી સહકારીને આપવામાં આવ્યો હતો.
- ગુજરાતના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીએ GI ટેગ માટે અરજી કરવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે સહયોગ કર્યો હતો.
- ગુજરાતમાં ચીકુના કુલ ઉત્પાદનમાં 30% હિસ્સો અમલસાડ ચીકુનો છે.
- અમલસાડ ચીકુ (Sapodilla) ગણદેવી તાલુકાના 51 ગામો, અમલસાડ સહિત જલાલપોર તાલુકાના 6 ગામો અને નવસારી તાલુકાના 30 ગામોમાં સૌથી વધુ પાકે છે, જે મળીને રાજ્યના ચીકુ ઉત્પાદનના લગભગ 30% છે.
# માધવપુર (ઘેડ)નો મેળો
ART & CULTURE
6 એપ્રિલ, 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોરબંદર જિલ્લામાં આવેલા માધવપુરમાં રામનવમીની શુભ સાંજે ભવ્ય ‘માધવપુર મેળા‘નું ઔપચારિક ઉદઘાટન કર્યું હતું.
- આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયા પણ હાજર હતા.
- તેમણે રૂકમણી મંદિર પરિસરમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા ₹30 કરોડના વિવિધ યાત્રાળુ સુવિધા વિકાસ કાર્યોનું ઉદઘાટન પણ કર્યું હતું.
- માધવપુર મેળાને 2018થી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
માધવપુર (ઘેડ) મેળો વિશે
- ગુજરાતમાં પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમ (રામનવમી)ના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને ભક્તિ-કીર્તનનો પાંચ દિવસનો માધવપુરનો મેળો ભરાય છે. ચૈત્ર સુદ તેરસના દિવસે પૂર્ણ થાય છે.
- આ મેળાની શરૂઆત લગભગ તેરમી સદીની આસપાસ થઈ હતી.
- માધવપુરમાં ઘેડમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં લગ્ન પ્રસંગની સાથે જોડાયેલ છે.
- પુરાણ કથા મુજબ રાજકુમારી રૂક્ષ્મણીજીને ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના દિવસે ભરાતા ભવનાથ મેળામાંથી ભગવાન શ્રી કૃષ્ણ માધવપુર લઈ આવ્યા હતા.
- ત્યારબાદ માધવપુરમાં તેમના લગ્ન થયા હતા. ત્યાર પછીથી તેમની યાદમાં દર વર્ષે અહીં ભારતીય શાસ્ત્રોક્ત વિધિથી લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
- આ ઉજવણી પાંચ દિવસ ચાલે છે. આ મેળાનું આયોજન અને બધી વ્યવસ્થા માધવપુરમાં આવેલા પ્રસિદ્ધ શ્રી માધવરાયજી મંદિર તરફથી કરવામાં આવે છે.
- આ પ્રસંગે ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રી ગોપાલ લાલજી (શ્રી કૃષ્ણ)નું ફુલેકું નીકળે છે. આ ફુલેકાની ઉજવણી ત્રણ દિવસ ચાલે છે. ત્યારબાદ જન આગમન-સ્વાગત-લગ્નવિધિ અને કન્યાવિદાયના પ્રસંગે યોજાય છે.
- ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં લગ્ન જ્યાં થયા હતા તે જગ્યા ‘રૂક્ષ્મણીમઠ’ તરીકે ઓળખાય છે.
# Pamban Bridge
NATIONAL NEWS
6 એપ્રિલ, 2025ના રોજ રામનવમીના શુભ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તામિલનાડુના રામેશ્વરમ ખાતે દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ પંબન બ્રિજનું ઉદઘાટન કર્યું હતું.
Pamban Bridge વિશે
- આ બ્રિજ રામેશ્વરમ ટાપુને ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડે છે અને વૈશ્વિક સ્તરે ભારતીય એન્જિનિયરિંગની મોટી સિધ્ધિ છે.
- આ બ્રિજ ₹531 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને તેની લંબાઈ 2.07 કિ.મી. છે.
- ન્યૂ પંબન બ્રિજ ભારતનો પ્રથમ વર્ટિકલ-લિફ્ટ રેલવે દરિયાઈ પૂલ છે. આ બ્રિજમાં 99 સ્પાન (થાંભલાઓ વચ્ચેનું અંતર) છે.
- વર્ટિકલ લિફ્ટ સ્પાન 72.5 મીટર લાંબો છે, જે 17 મીટરની ઊંચાઈ સુધી લિફ્ટ થઈ શકે છે. પરિણામે મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકે છે અને ટ્રેન સેવાઓ પણ કોઈ વિક્ષેપ વિના ચાલું રહે છે.
- આ બ્રિજ સ્ટેનલેસ સ્ટીલ રિઈન્ફોર્સમેન્ટ, ઉચ્ચ ગ્રેડ રક્ષણાત્મક પેઈન્ટ અને સંપૂણપણે વેલ્ડેડ સાધનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.
- નવા બ્રિજને 1914માં બનેલા બ્રિજથી બદલવામાં આવ્યો છે. જે ગંભીર કાટના કારણે ડિસેમ્બર 2022માં બંધ થઈ ગયો હતો.
નોંધ: રામેશ્વરને દક્ષિણ ભારત સાથે જોડતો પંબન બ્રિજ સૌપ્રથમ 1914માં બનાવવામાં આવ્યો હતો. તે સમુદ્ર પર બનેલો ભારતનો પ્રથમ બ્રિજ હતો. આ બ્રિજ બ્રિટિશકાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો.
# શ્રીલંકા મિત્ર વિભૂષણ
AWARDS
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી અનુરા કુમારા દિસાનાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘મિત્ર વિભૂષણ પુરસ્કાર’થી સન્માનિત કર્યા હતા.
- ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ’એ શ્રીલંકા દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ નાગારિક સન્માન છે.
- તેની સ્થાપના 2008માં તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે (Mahinda Rajapaksa) દ્વારા કરવામાં આવી હતી.
- ઉદ્દેશ્ય: શ્રીલંકા સાથે એકતા દર્શાવનારા રાષ્ટ્રના વડાઓ અને સરકારી અધિકારીઓનું સન્માન કરવું.
- શ્રીલંકામાં આ પુરસ્કાર અન્ય રાષ્ટ્રીય સન્માનો કરતા વધુ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે.
- આ પુરસ્કારમાં નવ શ્રીલંકાના રત્નોથી શણગારેલો ચાંદીનો ચંદ્રક છે, જેણે નવરત્ન તરીકે ઓળખવામાં આવે છે. આ ડિઝાઈનમાં કમળની પાંખડીઓથી ઘેરાયેલો ગોળો છે તથા સુર્ય અને ચંદ્રના પ્રતીકો તેમજ ધર્મ ચક્ર પણ શામેલ છે.
List of awards and honours received by Narendra Modi: Click Here
# વકફ (સુધારા) બિલ, 2025
GOVERNMENT POLICIES
તાજેતરમાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં ‘વકફ (સુધારા) બિલ (Waqf (Amendment) Bill), 2025’ પસાર કરવામાં આવ્યું હતું. લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજજુ દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને UMEED (Unified Waqf Management Empowerment, Efficiency and Development) નામ આપવામાં આવ્યું હતું.
- લોકસભામાં 2 એપ્રિલના રોજ લગભગ લાંબી ચર્ચા બાદ મધ્યરાત્રીએ વકફ (સુધારા) બિલ, 2025 288 વિરુધ્ધ 232 મતોથી પસાર થયું હતું.
- લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં આ બિલ 128 વિરુધ્ધ 95 મતોથી પસાર થયું હતું.
- વકફ (સંશોધન) બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું.
- રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલના રોજ સંસદે પસાર કરેલા આ બિલને મંજૂરી આપી હતી.
- રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલ કાયદામાં ફેરવાઈ ગયું હતું.
- 8 એપ્રિલ, 2025થી વકફ સંશોધન કાયદો, 2025 સત્તાવાર રીતે લાગુ થયો હતો.
વકફ શું છે?
- વકફ એ અરબી ભાષમાંથી આવેલ શબ્દ છે, જેનો અર્થ સાચવવું થાય છે.
- ઈસ્લામમાં વકફનો અર્થ જાહેર કલ્યાણ માટે ઉપયોગમાં લેવાતી સુરક્ષિત મિલકત છે.
- તે એક ઈસ્લામિક કાનૂની ખ્યાલ છે જે ધાર્મિક, સખાવતી અથવા સામાજિક કલ્યાણ હેતુઓ માટે મિલકતના કાયમી સમર્પણનો ઉલ્લેખ કરે છે.
- એકવાર વકફ તરીકે નિયુક્ત થયા પછી મિલકત વેચી શકાતી નથી, વારસામાં મળી શકાતી નથી અથવા ભેટમાં મળી શકતી નથી. તે સમુદાયની સેવા માટે કાયમ માટે સમર્પિત છે.
- જે વ્યક્તિ પોતાની મિલકત વકફને આપે છે તેને ‘વકીફા’ કહેવાય છે.
- વકફની વિભાવના ઉત્પતિ
- દિલ્હી સલ્તનતના શરૂઆતના દિવસોથી જ ભારતમાં વકફ અસ્તિત્વમાં હતું.
- સુલતાન મુઈઝુદ્દીન સામ ઘોરે મુલતાનની જામા મસ્જિદને બે ગામોને સમર્પિત કરી અને શેખુમ ઈસ્લામને તેના વહીવટીકર્તા તરીકે નિયુક્ત કર્યા હતા.
- જેમ જેમ દિલ્હી સલ્તનત અને ત્યારબાદના ઈસ્લામિક રાજવંશો બાદ ભારતમાં વકફની મિલકતોની સંખ્યામાં વધારો થયો હતો.
- બ્રિટિશકાળ દરમિયાન 1913ના મુસ્લિમ વકફ માન્યતા અધિનિયમ ભારતમાં વકફ સંસ્થાને રક્ષણ આપ્યું હતું.
વકફ (સુધારા) અધિનિયમ, 2025ની મુખ્ય જોગવાઈઓ
- વકફ (સુધારા) અધિનિયમ, 2025એ ભારતમાં વકફ મિલકતોના સંચાલન અને સમાવેશ વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ સુધારા કર્યા છે.
- વકફ (સુધારા) અધિનિયમ, 2025માં રજૂ કરાયેલા સુધારા નીચે મુજબ છે.
- આ કાયદાનું નામ બદલીને UMEED (Unified Waqf Management, Empowerment, Efficiency and Development) રાખવામાં આવ્યું છે.
- વકફ બોર્ડ/કાઉન્સિલની રચના: રાજ્ય વકફ બોર્ડ અને કેન્દ્રીય વકફ પરિષદમાં ઓછામાં ઓછા બે બિન-મુસ્લિમ સભ્યો હોવા જોઈએ. વકફ બોર્ડમાં બે મુસ્લિમ મહિલા સભ્યો જરૂરી છે.
- કેન્દ્રને મુસ્લિમ હોવાની જરૂર વગર કેન્દ્રીય વકફ કાઉન્સિલમાં ત્રણ સંસદ સભ્યો (બે લોકસભામાંથી અને એક રાજ્યસભ્યમાંથી) નોમિનેટ કરવાનો અધિકાર આપે છે.
- ‘Waqf By User’ Removed: વકફ સુધારો કાયદો ‘વકફ બાય યુઝર’ જોગવાઈને દૂર કરે છે.
- જે અગાઉ મિલકતોને ફક્ત ધાર્મિક પ્રવૃતિઓને માટે લાંબા ગાળાના ઉપયોગના આધારે વકફ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી હતી.
- વકફ સમર્પણ માટેની પાત્રતા: ઓછામાં ઓછા 5 વર્ષ સુધી વકફનું પાલન કરતો મુસ્લિમ જ બનાવી શકે છે.
- કલમ-40 દૂર કરવી: વકફ સુધારા અધિનિયમ, 2025 વકફ કાયદાની કલમ 40ને નાબૂદ કરે છે.
- વકફ કાયદાની કલમ 40 વકફ બોર્ડને કોઈ મિલકત વકફ છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર આપતી નથી.
- વકફ મિલકતનો સર્વે: નવા કાયદાએ વકફ મિલકતોના સર્વેક્ષણની દેખરેખ માટે સર્વે કમિશનરની જગ્યાએ કલેકટર અથવા અન્ય વરિષ્ઠ અધિકારીઓને નિયુક્ત કરે છે.
- વિવાદ નિવારણ: મુસ્લિમ કાયદાના નિષ્ણાતની જરૂરિયાત દૂર થાય છે, હવે તેમાં ન્યાયિક અધિકારી + સરકારી અધિકારીનો સમાવેશ થાય છે.
- ટ્રિબ્યુનલના નિર્ણયોને ટ્રિબ્યુનલ આદેશ મળ્યાના 90 દિવસની અંદર ઉચ્ચ અદાલતમાં પડકારી શકાય છે.
- પરદર્શિતાના પગલાં: પારદર્શિતા વધારવા માટે વકફ મિલકતોની 6 મહિનાની અંદર ફરજિયાત નોંધણી જરૂરી છે.
- વાર્ષિક ₹1 લાખથી વધુ કમાણી કરતી વકફ સંસ્થાઓએ નાણાકીય જવાબદારીઓ માટે રાજ્ય દ્વારા નિયુક્ત ઓડિટમાંથી પસાર થવું આવશ્યક છે.
- મહત્ત્વ: વકફ સુધારા અધિનિયમ 2025એ ભારતમાં વકફ મિલકતોના સંચાલનને આધુનિક બનાવવા અને સુધારવાના હેતુથી એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રસ્તાવ છે. તે નીચેના કારણોસર મહત્વપૂર્ણ છે.
- Transparency and Accountability: વકફ મિલકતોના દુરુપયોગ અને ગેરવહીવટને રોકવા માટે દેખરેખ અને નિયમોમાં વધારો.
- Streamlined Administration: Improve Record-Keeping and Reduce Bureaucratic Delays માટે પ્રક્રિયાઓને અપડેટ કરે છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે..
- Protection of Properties: અતિક્રમણ અને ગેરકાયદેસર ટ્રાન્સફર અટકાવવા માટે કડક દંડ લાગુ કરવામાં આવ્યો અને વકફ બોર્ડની સત્તાઓમાં વધારો કરવામાં આવ્યો.
- Inclusion and Diversity: વિવિધતા અને સમુદાય પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવા માટે વક્ફ બોર્ડમાં વધુ મહિલાઓ અને બિન-મુસ્લિમોને ફરજિયાત બનાવે છે.
- Addressing Historical Issues: વકફ મિલકત વ્યવસ્થાપનમાં ભ્રષ્ટાચાર અને બિનકાર્યક્ષમતાને દૂર કરવા માટે નવા નિયમો રજૂ કર્યા..
# પશ્ચિમ બંગાળના GI ટેગ
GEOGRAPHY
તાજેતરમાં પશ્ચિમ બંગાળને સાત પરંપરાગત ઉત્પાદનો માટે Geographical Indication (GI) ટેગ પ્રાપ્ત થયા છે. જેમાં ‘નોલેન ગુરેર સંદેશ’ અને બરુઈપુર જામફળ જેવી લોકપ્રિય વસ્તુઓનો સમાવેશ થાય છે.
પશ્ચિમ બંગાળને મળેલા નવા સાત GI ટેગ ઉત્પાદનો
- Nolen Gurer Sandesh: છેના (દહીવાળું દૂધ) અને ખજૂરના ગોળમાંથી બનેલી શિયાળાની વાનગી છે, જે તેના અનોખા સ્વાદ માટે પ્રિય છે.
- Kamarpukur’s White Bonde: એક પરંપરાગત મિઠાઈ જે તેના સમૃધ્ધ સ્વાદ માટે જાણીતી છે.
- Murshidabad’s Chhanabora: છેનામાંથી બનેલી એક જાણીતી મિઠાઈ છે.
- Bishnupur’s Motichur Laddoo: તેના અનોખા સ્વાદ માટે પ્રખ્યાત છે.
- Radhunipagal Rice: તેના અનોખા સ્વાદ અને ગુણવત્તા માટે મૂલ્યવાન છે.
- Malda’s Nistari Silk Yarn: તેની સુંવાળી રચના અને ચમક માટે પ્રખ્યાત છે.
- Baruipur Guavas: તે તેના સ્વાદ માટે જાણીતું છે.
# પોષણ પખવાડા 2025
GOVERNMENT INITIATIVES
- ભારત સરકારે પોષણ પખવાડા અભિયાન કાર્યક્રમ હેઠળ પોષણ પખવાડાની 7મી આવૃત્તિ શરૂ કરી છે.
- ઉદ્દેશ્ય: કુપોષણને દુર કરવા અને સમાજના નબળા વર્ગો માટે પોષણ પરિણામો સુધારવાનો છે.
- 8 એપ્રિલ – 22 એપ્રિલ, 2025 સુધી ચાલનારી આ ઝુંબેશ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા, કુપોષણનું સંચાલન કરવા અને પોષણ ટ્રેકર પર જાગૃતિ લાવવા જેવા વિવિધ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- આ રાષ્ટ્રીય પહેલ સરકારી મંત્રાલયો, સ્થાનિક સમુદાયો અને વિવિધ સંગઠનો સહિત બહુવિધ હિસ્સેદારોને સામેલ કરવા માટે રચાયેલ છે. જેથી બાળકો, સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણની સ્થિતિને સુધારી શકાય છે.
- પોષણ પખવાડાનો લૉન્ચ કાર્યક્રમ નવી દિલ્હીમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરના નેતૃત્વમાં યોજાયો હતો.
One-Liner Current Affairs
- તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાત લીધી હતી.
- આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને લિસ્બનના મેયર દ્વારા ‘City Key of Honour’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- આ મુલાકાત ભારતની વિદેશી રાજદ્વારી દિશામાં ખાસ કરીને યુરોપ સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
- આ મુલાકાત ભારત-પોર્ટુગલ રાજદ્વારી સંબંધોની 50મી વર્ષગાંઠ સાથે સંરેખિત છે.
- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના નવા પ્રમુખ બન્યા છે.
- તેમણે ACCના પ્રમુખ તરીકે શમ્મી શિલ્વાનું સ્થાન લીધું છે. તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે.
- ગુજરાત રાજ્યના આ વર્ષના બજેટની જાહેરાત થયા બાદ ‘ગુજરાત વહીવટી સુધારણા આયોગ’ કાર્યરત કરવાની મંજૂરી આપી હતી.
- મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર શ્રી ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ‘ગુજરાત વહીવટી સુધારણા આયોગ’ની રચના કરવામાં આવી હતી.
- આ ઉપરાંત આયોગમાં મુખ્ય સચિવ સહિત અન્ય પાંચ સભ્યોની નિમણુક કરવામાં આવી હતી. આ આયોગ દ્વારા તેનો પ્રથમ રિપોર્ટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સોંપવામાં આવ્યો હતો.
- ગુજરાતી નવલકથાકાર, પત્રકાર, વાર્તાકાર તેમજ સાહિત્ય મેઘાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે નિધન થયું છે.
- તાજેતરમાં United Nations Maternal Mortality Estimation Inter-Agency Group (UN MMEIG) દ્વારા ‘Trends in Maternal Mortality: 2022-23’ શીર્ષક હેઠળ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.
- આ રિપોર્ટ અનુસાર નાઈજીરિયા પછી ભારત વૈશ્વિક માતા મૃત્યુદરમાં બીજા ક્રમે છે.
- 2023માં ભારતમાં 19000 માતા મૃત્યુ નોંધાયા હતા, જે વૈશ્વિક માતા મૃત્યુદરમાં 7.2% હતા.
- ભારત પછી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (7.2%) અને પાકિસ્તાન 4.1% સાથે આવે છે.
- અમેરિકન વૈજ્ઞાનિકોએ લુપ્ત થઈ ગયેલી વરુ પ્રજાતિ ‘Dire Wolf’નો પુનર્જન્મ કરીને ઈતિહાસ રચ્યો છે.
- અમેરિકાના ડલ્લાસ સ્થિત બાયોટેક કંપની Colossal Biosciences એ આ સિદ્ધિ હાંસલ કરી છે.
- કંપનીએ જૂના DNA, ક્લોનિંગ અને જનીન સંપાદન તકનીકોનો ઉપયોગ કરીને 13000 વર્ષ પહેલા લુપ્ત થયેલા Dire Wolf પ્રજાતિના ત્રણ બચ્ચા ઉત્પન્ન કર્યા છે. તેમાં બે નર અને એક માદા છે.